logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો
logo
logo
અમારા વિશે
પ્રોડક્ટ
કેલ્ક્યુલેટર
અમારો સંપર્ક કરો
રોકાણકાર સંબંધો

વ્હિસલ બ્લોઅર પૉલિસી

પરિચય

સમ્માન કેપિટલ લિમિટેડ (અગાઉ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તરીકે ઓળખાતી) ("કંપની" અથવા "SCL") તેના બિઝનેસ કામગીરીઓના નૈતિક, સૈદ્ધાંતિક અને કાનૂની આચરણના ઉચ્ચતમ ધોરણોનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ધોરણોની જાળવણી માટે, કંપનીએ આ ધોરણોને પ્રાપ્ત કરવા અને જાળવવામાં તેના ડિરેક્ટર્સ, કર્મચારીઓ અને અન્ય હિસ્સેદારોને મદદ કરવા માટે ઘણી નીતિઓ બનાવી છે.

વ્હિસલ બ્લોઅર પૉલિસી ("પૉલિસી") નો હેતુ નિર્દેશકો, કર્મચારીઓ અને અન્ય હિસ્સેદારોને આગળ જતા ઉત્પીડન, ભેદભાવ અથવા નુકસાનના જોખમ વિના બાબતોને રિપોર્ટ કરવાનો માર્ગ પ્રદાન કરવાનો છે. આ પૉલિસી વ્હિસલ બ્લોઅર્સના ઉત્પીડન સામે પર્યાપ્ત સુરક્ષા પ્રદાન કરે છે અને જો તેઓ અનૈતિક અને અયોગ્ય પ્રથાઓ અથવા કંપનીમાં કોઈ અન્ય ખોટું આચરણ થતા જુએ છે. આ પૉલિસી કંપની અને તેની પેટાકંપનીઓ માટે કામ કરતા તમામ નિર્દેશકો, કર્મચારીઓ અને અન્ય હિસ્સેદારો જેમ કે કરજદારો, મુખ્ય ભાગીદારો, ડાયરેક્ટ સેલિંગ એજન્ટ્સ, વિક્રેતાઓ વગેરેને લાગુ થાય છે.

અમારા વિઝન અને અમે અમારી સંસ્થામાં જાળવીએ છીએ તે મૂલ્યોને અનુરૂપ અને બહેતર કોર્પોરેટ ગવર્નન્સના ભાગ રૂપે, આ પૉલિસી બનાવવામાં આવી છે. કોઈપણ અનૈતિક અને અયોગ્ય પ્રથાઓ અથવા અયોગ્ય આચરણને સારી ભાવના સાથે જાહેર કરવા બદલ વ્હિસલ બ્લોઅર્સ/ફરિયાદકર્તાઓ સામે કોઈપણ પ્રતિકૂળ કાર્યવાહી કરવામાં આવશે નહીં અથવા તેની ભલામણ કરવામાં આવશે નહીં. આ પૉલિસી અયોગ્ય બરખાસ્ત અને અયોગ્ય પૂર્વગ્રહ-યુક્ત રોજગાર પ્રથાઓથી આવા વ્હિસલ બ્લોઅર્સ/ફરિયાદકર્તાઓને સુરક્ષિત કરે છે.

જો કે, આ પૉલિસી કોઈપણ વ્હિસલ બ્લોઅર્સ/ફરિયાદકર્તાને એવી કોઈપણ પ્રતિકૂળ કાર્યવાહીથી સુરક્ષિત કરતી નથી, જે અનૈતિક અને અયોગ્ય પ્રથાઓ અથવા કથિત અયોગ્ય આચરણને જાહેર કરવાના તેમના કાર્યથી સ્વતંત્ર રીતે થાય, નોકરીમાં ખરાબ કામગીરી, અન્ય કોઈપણ શિસ્તભંગની કાર્યવાહી વગેરેને લીધે થાય છે, જે આ પૉલિસીને અનુસરવામાં આવેલ જાહેરાતથી સંબંધિત નથી. આ પૉલિસી, કંપની દ્વારા તેની વેબસાઇટ પર અને બોર્ડના અહેવાલમાં જાહેર કરવામાં આવશે.

આ પૉલિસી વ્હિસલ બ્લોઅર્સ/ફરિયાદકર્તાઓ દ્વારા કોઈપણ અનૈતિક અને અયોગ્ય પ્રથાઓ અથવા ખોટા આચરણને જાહેર કરવા પર એક આંતરિક પૉલિસી છે. કોઈપણ વ્હિસલ બ્લોઅર્સ/ફરિયાદકર્તાઓ સામે આ પૉલિસી હેઠળ માહિતી જાહેર કરવાને કારણે કોઈપણ પ્રતિકૂળ કાર્યવાહી કરવામાં આવી હોય, તો તેઓ વ્હિસલ બ્લોઅર કમિટીના સભ્યોનો સંપર્ક કરી શકે છે.

લક્ષ્ય પ્રેક્ષકો

આ પૉલિસી કંપનીના તમામ નિર્દેશકો, કર્મચારીઓ અને અન્ય હિસ્સેદારો જેમ કે બાહ્ય એજન્સીઓ, સપ્લાયર/વિક્રેતાઓ, સલાહકારો, કરારબદ્ધ કર્મચારીઓ, કરજદારો વગેરેને લાગુ પડશે.

એક કર્મચારી એટલે દરેક બોના-ફાઇડ કર્મચારી, એટલે કે નિયમિત કર્મચારીઓ (પ્રોબેશન પર રહેલા, કન્ફર્મ થયેલા અને નોટિસ પીરિયડમાં રહેલા), પૂર્વ-કર્મચારીઓ, રોજગારના અન્ય પ્રકાર જેમ કે તાલીમાર્થીઓ, સલાહકારો, રિટેનર્સ વગેરે.

"વ્હિસલ બ્લોઅર એટલે કંપનીના નિર્દેશક(કો)/કર્મચારી(ઓ)/અન્ય હિસ્સેદાર(રો) કે જેઓ કોઈપણ અનૈતિક અને અયોગ્ય પ્રથાઓ અથવા કથિત રીતે ખોટા આચરણને સદ્ભાવના સાથે જાહેર કરે છે.

આ પૉલિસીનો હેતુ

i. કર્મચારીઓ/નિયામકો/અન્ય હિસ્સેદારોને અનૈતિક વર્તન, દુર્વ્યવહારો, ખોટા આચરણ, છેતરપિંડી, કંપનીની નીતિઓ અને મૂલ્યોનું ઉલ્લંઘન, રિટેલિએશનના ભય વિના SCL ના કોઈપણ કર્મચારી દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરવા માટે પ્રોત્સાહિત કરવું. કોઇપણ કર્મચારી અથવા પક્ષ જે સદ્ભાવનાથી આવા વર્તન, ગેરરીતિની જાણ કરશે તેને વ્હીસલ બ્લોઅર તરીકે ઓળખવામાં આવશે.

ii. સંસ્થામાં પારદર્શિતાની સંસ્કૃતિ અને વિશ્વાસ નિર્માણ કરવો અને તેને મજબૂતી પ્રદાન કરવી.

iii\. પૉલિસી એવું વાતાવરણ પૂરું પાડે છે જે જવાબદારીને પ્રોત્સાહન આપે છે અને વ્હિસલ બ્લોઇંગનું રક્ષણ કરે છે. તે કર્મચારીઓ/નિયામકો/અન્ય હિસ્સેદારોને તેમના કર્તવ્ય વિશે યાદ અપાવે છે કે જે ગ્રુપને લાગુ પડે અને ગ્રુપના મૂલ્યોનું કોઈપણ શંકાસ્પદ ઉલ્લંઘન અથવા આચારના SCL કોડને રિપોર્ટ જાણ કરે છે.

iv. આખરે, આ SCL ની અંદર વિવિધ સ્તરે શું ખોટું થઈ શકે છે તે વિશેની માહિતીનો ગતિશીલ સ્ત્રોત છે, જે SCL ને વિવિધ પ્રક્રિયાઓને ફરીથી ગોઠવવામાં અને સારી શાસન પ્રથાના ભાગ રૂપે સુધારાત્મક પગલાં લેવામાં મદદ કરશે.

"સદ્ભાવના": જો અનૈતિક અને અયોગ્ય પ્રથાઓ અથવા અન્ય કોઈપણ કથિત ખોટા આચરણના કરેલ કમ્યુનિકેશન બદલ કોઈ વ્યાજબી આધાર હોય, ત્યારે વ્હિસલ બ્લોઅર સદ્ભાવના સાથે જાણ કરે છે એમ માનવામાં આવશે. જ્યારે વ્હિસલ બ્લોઅર્સ પાસે આવા કમ્યુનિકેશન માટે વ્યક્તિગત જાણકારી કે વાસ્તવિક આધાર ન હોય અથવા જ્યાં વ્હિસલ બ્લોઅર્સ જાણતા હોય અથવા વ્યાજબી રીતે જાણતા હોવા જોઈએ કે અનૈતિક અને અયોગ્ય પ્રથાઓ અથવા કથિત ખોટા આચરણ માટે કરેલ કમ્યુનિકેશન દુર્ભાવનાપૂર્ણ, ખોટું અથવા અર્થહીન છે, ત્યારે સદ્ભાવનાનો અભાવ હોવાનું માનવામાં આવશે.

"પ્રતિશોધ / ઉત્પીડન": પ્રતિશોધ એ કોઈપણ વ્યક્તિ દ્વારા વ્હિસલ બ્લોઅર સામે પ્રત્યક્ષ કે પરોક્ષ, ભલામણ કરાયેલ, ધમકાવીને અથવા લેવામાં આવેલું કોઈપણ કૃત્ય છે કારણ કે વ્હિસલ બ્લોઅરે પૉલિસી હેઠળ જાહેરાત કરી છે. પ્રતિશોધમાં આ જાહેર/અપ્રગટ કૃત્યોનો સમાવેશ થાય છે:

● ભેદભાવ

● બદલો

● ઉત્પીડન

● વેર

સતર્કતા તંત્ર

કર્મચારી/નિર્દેશક/અન્ય હિસ્સેદારો પોતાની સમસ્યાઓને ઇમેઇલ દ્વારા whistleblower-email પર જણાવી શકે છે, જે વ્હિસલ બ્લોઅરની સમસ્યાઓ માટે એક સમર્પિત ઇમેઇલ ID છે. આ ઇમેઇલ ID ની ઍક્સેસ માત્ર વ્હિસલ બ્લોઅર કમિટીના સભ્યો એટલે કે, પ્રમુખ - છેતરપિંડી નિયંત્રણ એકમ અને માનવ સંસાધનના પ્રમુખને પ્રદાન કરવામાં આવેલ છે. જ્યારે કોઈ સંબંધિત વ્યક્તિ ઉપરોક્ત ઇમેઇલ ID પર કોઈપણ સમસ્યા/ફરિયાદ/પ્રતિસાદ સંબંધિત મેઇલ મોકલે છે, ત્યારે તે એકસાથે વ્હિસલ બ્લોઅર કમિટીના સભ્યોને પણ પ્રાપ્ત થાય છે. વ્હિસલ બ્લોઅર કમિટીના સભ્યો દ્વારા સમસ્યાની પ્રાપ્તિના યોગ્ય સમયની અંદર, આ સમસ્યા મોકલનારને સ્વીકૃતિ મોકલવામાં આવશે. આ સ્વીકૃતિ સમસ્યાની પ્રાપ્તિની પુષ્ટિ કરશે અને મોકલનારને જાણ કરશે કે આ સમસ્યા ઉપર યોગ્ય ધ્યાન આપવામાં આવશે જો આ સમસ્યા વ્હિસલ બ્લોઅર પૉલિસીના પરિપ્રેક્ષ્યમાં આવતી ન હોય, તો મોકલનારને જાણ કરવામાં આવશે કે આ સમસ્યાને આગળ જરૂરી લાગે તે કાર્યવાહી માટે યોગ્ય વિભાગ/સત્તાધિકારીને મોકલવામાં આવી રહી છે. સમસ્યા અથવા ફરિયાદ પ્રાપ્ત થયા પછી સમિતિના સભ્યો ("સભ્યો") તરત જ આ બાબતની પૂછપરછ કરવા માટે યોગ્ય કાર્યવાહી હાથ ધરશે. સભ્યો ત્યારબાદની ત્રિમાસિક ઑડિટ સમિતિ મીટિંગમાં પ્રાપ્ત થયેલી સમસ્યાઓની વિગતો (તેમાં ફેરફાર કર્યા વિના) જણાવશે. તેઓ પૂછપરછ અને કાર્યવાહીની સ્થિતિ વિશે ઑડિટ સમિતિને પણ અપડેટ કરશે. કંપનીની આચારસંહિતાના નિયમો અથવા ઑડિટ સમિતિના નિર્દેશો અને માર્ગદર્શન, જો કોઈ હોય તો, તેના આધારે આગળ કાર્યવાહી કરવામાં આવશે. આ પૉલિસી હેઠળ પ્રાપ્ત થયેલી સમસ્યાઓની પૂછપરછ સામાન્ય રીતે સભ્યો દ્વારા સમસ્યા પ્રાપ્ત થયાના 90 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવશે. ત્રિમાસિક ધોરણે સમસ્યાઓની પૂછપરછ અને કાર્યવાહીની સ્થિતિની જાણ કરતી વખતે, પૂછપરછ માટે અતિરિક્ત સમય આવશ્યક હોય તેવી સમસ્યાઓની જાણ ઑડિટ સમિતિને કરવામાં આવશે. એકવાર પૂછપરછ પૂર્ણ થયા પછી, સભ્યો SCL ની અંદર સંબંધિત ગ્રુપ દ્વારા લેવાના પગલાંઓ, જો કોઈ હોય તો, તેના વિશે જાણ કરશે અને આવી કાર્યવાહી પૂર્ણ થાય ત્યાંસુધી તેના પર નજર રાખશે. કોઈ સમસ્યા જ્યાં સુધી આવી કાર્યવાહી શરૂ / પૂર્ણ ન થાય ત્યાં સુધી ખુલ્લી રાખવામાં આવશે.

આ સમસ્યાને પૂછપરછ અને અનુશાસનાત્મક કાર્યવાહી, પુનઃપ્રાપ્તિની કાર્યવાહી, બાહ્ય કાનૂની કાર્યવાહીની શરૂઆત અથવા વર્તમાન પૉલિસીઓ દ્વારા જરૂરી રિપોર્ટિંગના સમાપન પછી બંધ કરેલ માનવામાં આવશે, ત્યારબાદ તે પછીની ત્રિમાસિક ઑડિટ સમિતિની મીટિંગમાં તે બાબતને બંધ કરેલ તરીકે રિપોર્ટ કરવામાં આવશે. ખુલ્લી તમામ સમસ્યાઓની સ્થિતિ ત્રિમાસિક ધોરણે વ્હિસલ બ્લોઅર સમિતિના સભ્યો દ્વારા ઑડિટ સમિતિને જાણ કરવામાં આવશે. પાછલા ત્રિમાસિક દરમિયાન બંધ કરવામાં આવેલી સમસ્યાઓની પણ સંબંધિત વિગતો સાથે ઑડિટ સમિતિને જાણ કરવામાં આવશે.

જો આ સમસ્યા વ્હિસલ બ્લોઅર પૉલિસીના પરિપ્રેક્ષ્યમાં આવતી ના હોય, તો મોકલનારને જાણ કરવામાં આવશે કે આ સમસ્યાને આગળ જરૂરી લાગે તે કાર્યવાહી માટે યોગ્ય વિભાગ/સત્તાધિકારીને મોકલવામાં આવી રહી છે.

અગમચેતી

ઉત્પીડન અથવા જુલમ - કોઈપણ બોનાફાઇડ વ્હિસલ બ્લોઅરને કોઈપણ રીતે હેરાન કરવામાં આવશે નહીં કે તેમનું ઉત્પીડન કરવામાં આવશે નહીં.

ગોપનીયતા - વ્હિસલ બ્લોઅરની ઓળખ સંપૂર્ણ રીતે ગોપનીય રાખવામાં આવશે અને તેની જાણ માત્ર સક્ષમ અધિકારીઓને જ કરાશે.

અનામી ફરિયાદ - આ પૉલિસી કર્મચારીઓ/નિર્દેશકો/અન્ય હિસ્સેદારોને તેમની ફરિયાદો અને સમસ્યાઓમાં તેમના નામ સાથે કરવા માટે પ્રોત્સાહિત કરે છે, કારણ કે માહિતીના સ્ત્રોતની ઓળખ ના હોય તો યોગ્ય ફૉલો-અપ પ્રશ્નો અને તપાસ શક્ય નથી. અનામી રીતે વ્યક્ત કરેલી સમસ્યાઓ પર સામાન્ય રીતે ધ્યાન આપવામાં આવશે નહીં. અનામી સમસ્યાઓનું ફૉલો અપ આ આધારે કરવામાં આવશે:

● દાખલ કરેલી સમસ્યાની ગંભીરતા ;

● સમસ્યાની વિશ્વસનીયતા; અને

● સમસ્યામાં ચોક્કસ અને ચકાસણીપાત્ર તથ્યોની ઉપલબ્ધતા

દુર્ભાવના-ગ્રસ્ત આરોપ - દુર્ભાવાના સાથે કરેલ આરોપ માટે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.

ગોપનીયતા અને નામની ગુપ્તતા

કંપની/વ્હિસલ બ્લોઅર કમિટી આ પૉલિસી હેઠળ કરવામાં આવેલી તમામ જાહેરાતોને સુરક્ષિત જાહેરાત તરીકે માનશે એટલે કે, ગોપનીય, સંવેદનશીલ અને સુરક્ષિત રીતે રાખશે. ફરિયાદકર્તા(ઓ)ની ઓળખને ગોપનીય માનવામાં આવશે અને તેને જાહેર કરવામાં આવશે નહીં. જો ફરિયાદકર્તા/કંપની/વ્હિસલ બ્લોઅર કમિટી પોતાની ઓળખ જાહેર કરવા માંગે છે, તો તેમની પાસેથી લેખિત સંમતિ પ્રાપ્ત કરવામાં આવશે.

રેકોર્ડની સાચવણી

ફરિયાદ સંબંધિત રેકોર્ડ સચિવાલય વિભાગ દ્વારા જાળવવામાં આવશે. સચિવાલય વિભાગના પ્રમુખ એ તમામ સંરક્ષિત જાહેરાત અને તપાસની કૉપીને ઓછામાં ઓછા 10 વર્ષના સમયગાળા માટે જાળવી રાખવા માટે જવાબદાર રહેશે.

logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon
logo
facebook icontwitter iconinstagram iconlinkedin iconyoutube icon

100% સલામત અને સુર‌િક્ષત

સમ્માન કેપિટલ લિમિટેડ તમારા બ્રાઉઝિંગ અનુભવને સુધારવા અને વ્યક્તિગત ભલામણો પ્રદાન કરવા માટે કૂકીઝ અને સમાન ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. અમારી ઑનલાઇન સેવાઓનો ઉપયોગ કરીને, તમે અમારી કૂકી નીતિ મુજબ કૂકીઝનો ઉપયોગ કરવાની સંમતિ આપો છો